bs9tvlive@gmail.com

23-May-2025 , Friday

  હવે ડુંગળી નહીં રડાવે! સરકારે તૈયાર કર્યો ફૂલપ્રુફ પ્લાન, જાણો કઇ રીતે ભાવ કંટ્રોલમાં રહેશે?  


હાલમાં ડુંગળીના ભાવ નિયંત્રણમાં હોવા છતાં કેન્દ્ર સરકારે ભવિષ્ય માટે અત્યારથી જ પ્લાનિંગ શરૂ કરી દીધું છે. ડુંગળીની સંભવિત મોંઘવારી પર કાબુ મેળવવા માટે સરકારે એક ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો છે. તે પછી જો ડુંગળીને લઈને સંકટ આવે તો પણ સામાન્ય લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે. સરકાર આ વર્ષે તેના બફર સ્ટોક માટે પાંચ લાખ ટન ડુંગળી ખરીદવાની યોજના બનાવી રહી છે. જો ભાવ વધે તો તેને નિયંત્રિત કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. એક રિપોર્ટ અનુસાર NCCF એટલે કે નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિ. અને NAFED એટલે કે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા લિ. જેવી એજન્સીઓ સરકાર વતી ડુંગળીની ખરીદી કરશે. નોંધનીય છે કે ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે ગયા વર્ષે પાંચ લાખ ટનનો બફર સ્ટોક બનાવ્યો હતો. તેમાંથી એક લાખ ટન હજુ ઉપલબ્ધ છે. એ બફર સ્ટોકમાંથી રાહત દરે ડુંગળી વેચવાના સરકારના નિર્ણયથી કિંમતોને નિયંત્રિત કરવામાં મદદ મળી છે